ડાયાબીટીશથી નુકશાન

ડાયાબીટીશથી નુકશાન

ક્યારે લોહીમાં કિટોન દ્રવ્યો વધી જાય અને ફકત શર્કરાનું પ્રમાણ વધી જાય. આ તકલીફમાં નબળાઇ લાગે, માથું દુખે, ભૂખ ન લાગવી, પેડુનો દુખાવો થવો, શ્ર્વાસઝડપી બનવો, તેમાં એસિટોનની વાસ કયારેક ઊલટી થાય, સારવાર માટે ઈન્સ્યુલિન આપવામાં આવે છે. ડાયાબિટીસથી લાંબાગાળે અંગોમાં થતું નુકસાન:-ડાયાબિટીસમાં લાંબાગાળાની તકલીફોમાં નીચેના અંગોમાં તકલીફ થાય છે. (૧) આંખના રોગ:-ડાયાબિટીસ આંખોને નુકસાન કરે છે અને તે આગળ જતાં પુખ્તવયના લોકોમાં અંઘાપાનું કારણ બને છે. તેમાં આંખના રેટિના (નેત્રપટલ)ને અસર થાય છે. જેને કારણે રેટિનામાં પ્રવાહી અથવા રકતનો ક્રાવ થાય છે. અમુક દર્દી માં પ્રવાહી રેટિનામાં એકઠું થાય છે. જેને કારણે દ્રષ્ટ્રિ ઝાંખી થાય છે અથવા બિલકુલ ગુમાવાય છે. મોતિયો અથવા ઝામર પણ સંભવી શકે છે. આ તકલીફ થી બચવા માટે અથવા તેનું નિયંત્રણ થાય તે માટે બ્લડપ્રેશર કાબૂમાં લેવું, રેટિનાનું નિયમિતપરિક્ષણ, ધુમ્રપાન બધં કરવું, રકત શર્કરા અને લિપિડનું નિયંત્રણ જરૂરી બને છે. (૨) ડાયાબિટીક ન્યુરોપથી અને ડાયાબિટીક ફુટ (પગની સમસ્યાઓ):-ડાયાબિટીસને કારણે પગમાં અનેક જાતની તકલીફો થાય છે. ચાંદી પડવી, સોજો આવવો, કાણું પડવું, પગનો આકાર બદલાવો એ ડાયાબિટીક ફુટના લક્ષણો છે અને આ ડાયાબિટીક ફુટની તકલીફ. (૧) ચેતાતંત્રની તકલીફ (૨) બ્લડ સરકયુલેશનની તકલીફો (૩) ચેપ (૪) તમાકુ, બીડી,સિગારેટના સેવનને કારણે થાય છે. ડાયાબિટીસને કારણે જ્ઞાનતંતુઓને નુકસાન થાય છે અને તેથી પગની ચેતાઓની સંવેદનશીલતા ઘટે છે. જેને ડાયાબિટીક ન્યુરોપથી કહે છે. લાંબાગાળાના ડાયાબિટીસમાં પગમાં રકત પરિભ્રમણ અપુરતું થાય છે. ડાયાબિટીસને કારણે રકતવાહીનીઓ જાડી થઈ જાય છે અને તેમાં અવરોધ આવવાથી સડો શરૂ થાય છે અને રકતપ્રવાહ ઘટે છે. રકતશર્કરાના નિયંત્રણથી ડાયાબિટીક ન્યુરોપથી અટકાવી શકાય છે. (૩) કિડનીના રોગ (નેકોપથી):-કિડની બગડવાના જુદા જુદા કારણોમાં સૌથી વધુ જોવા મળતું અને મહત્વનું કારણ ડાયાબિટીસ છે.મૂત્રપિંડનું (કિડની) કાર્ય શરીરમાં રકતને ગાળવાનું છે. લોહીમાં ખાંડનું પ્રમાણ વધુ હોય તેને કારણે મૂત્રમિંડને વધુ કામ રહે છે અને આગળ જતાં મૂત્રપિંડ ક્ષતિગ્રસ્ત થાય છે. મૂત્રપિંડ પ્રત્યારોપણ કરાવવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. પુરિતમાં પ્રોટીનની હાજરી તથા રકતમાં પુરીયા અને કિએટીનને વધે છે.સામાન્ય રીતે ડાયાબિટીસ થયા બાદ ૭થી ૧૦ વર્ષ પછી ધીરે ધીરે કિડનીને નુકસાન થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીમાં કિડનીને નુકસાન થશે તે પહેલેથી નિદાન કરવું અશકય છે. આથી ડાયાબિટીસના દર્દીએ વર્ષમાં બે કે તેથી વધુ વખત જરૂરી પરિક્ષણ કરાવવું જોઈએ.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon